પુનિત મંડળનાં સંતોના સુભાશિષ અને ઈશ્વરની અસીમ કૃપા વડે, તમારાં સુધી આ પુરુષોત્તમ ભગવાનનાં ગુણવાનુંવાદ પહોંચાડવાનું પરમશભાગ્ય સાંપડ્યું છે તે માટે પરમેશ્વરનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. તેની કૃપા તો "વરસે અનરાધાર જોને મુજ પર જગદાધાર"
એ અનંત કૃપાને પ્રતાપે જ વિવિધ પ્રસંગોએ, વિવિધ મનોરથના ગુણાનુવાદ લખવાની પ્રેરણા થાય છે તે શબ્દાંંકન કરી પેન માંથી વહાવ્યા કરું છું. પરમ પૂજ્ય રામ ભગત, ધનંજયભાઈ, ત્રિભોવન ભગત તેમજ મનુબેનના આશીર્વાદથી પાવન થયેલ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2004 માં સુમન પબ્લિકેશન દ્વારા શ્રી ગિરીશભાઈના સહયોગથી પ્રકાશિત થઈ હતી. જેમાં પુરુષોત્તમ અને શ્રાવણના ભજનો હતાં. ફરીથી આ સુંદર યોગ આ વર્ષે આવ્યો છે ત્યારે મને થયું...